જમ્મુ-કાશ્મીરના ભુતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું બિમારીને કારણે નિધન

જમ્મુ-કાશ્મીરના ભુતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન (Satyapal Malik Passes Away) થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમણે આજે એટલે કે 5 ઓગસ્ટના રોજ આરએમએલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

 

જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે 78 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું. તેઓ છેલ્લા કેટલાક સમયથી બિમાર હતાં. સત્યપાલ મલિકને દિલ્હીની ડૉ. રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત નાજુક રહી હતી. તેમના મૃત્યુને કારણે દેશમાં શોકનું મોજું છે. પહેલા તેઓ ભાજપના મજબૂત નેતા હતા, બાદમાં તેઓ તેના ટીકાકાર બન્યા.

એવું કહેવામાં આવ્યું હતું કે સત્યપાલ મલિકને યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન અને કિડની નિષ્ફળતાની જટિલતાઓને કારણે ICU માં રાખવામાં આવ્યા હતા. આજે બપોરે હોસ્પિટલે સત્યપાલ મલિકના નિધનની માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું પણ દિલ્હીમાં અવસાન થયું હતું. શિબુ સોરેને સોમવારે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.