અડાલજના જગન્નાથ ધામમાં ઓરિસ્સાની અનુભુતિ

ગાંધીનગર: અષાઢી બીજના દિવસે જગન્નાથ મંદિર જમાલપુરથી પરંપરાગત માર્ગ પર રથયાત્રા નીકળે છે. આ સાથે અમદાવાદ-ગાંધીનગરમાં અન્ય ધાર્મિક અને સામાજિક સંગઠનો દ્વારા પણ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. અમદાવાદ ગાંધીનગરના જોડતા સરખેજ ગાંધીનગર હાઈવે પર આવેલા અડાલજ પાસે એક જગન્નાથ મંદિર આવેલું છે. અડાલજ પાસેના આ જગન્નાથ મંદિર દ્વારા દર વર્ષે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.જગન્નાથ ધામ અડાલજ સાથે સંકળાયેલા ઓડિસિ નૃત્ય ગુરુ સુપ્રવા મિશ્રા ચિત્રલેખા.કોમને કહે છે શ્રી જગન્નાથ કલ્ચરલ એકડમી એન્ડ રિસર્ચ સેન્ટર, જગન્નાથ ધામ-અડાલજ, ઓરિસ્સા સોશિયો કલ્ચરલ એસોસિએશન આ વર્ષે 27 જૂન 2025ના અષાઢી બીજથી રથયાત્રા ઉત્સવ ઉજવશે.ઓરિસ્સાની પરંપરા મુજબ દશમી સુધી કાર્યક્રમો થશે. ‘ચહેરા પહેરન ‘ વિધિ પછી ભગવાન જગન્નાથનું રથ પર આગમન સવારે 8:00 વાગે થશે. સવારે 8:00 વાગે રથમાં બિરાજમાન દેવતાઓની રથયાત્રાનો પ્રારંભ 9:00 વાગે થશે. આ રથયાત્રા અડાલજ પાસે આવેલા અન્નપૂર્ણા મંદિરે જશે. ઓરિસ્સાની પરંપરાથી થતા આ રથયાત્રા મહોત્સવમાં ઓમ આર્ટ એકડમી દ્વારા 4 જુલાઇના રોજ સાંજે 7:30 કલાકે જગન્નાથ મહિમાને નૃત્ય દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. દશમી સુધી ચાલનાર આ રથયાત્રા મહોત્સવમાં રથયાત્રા/શ્રી ગુંડીયા., હેરાપંચમી, બહુડા યાત્રા, સુવર્ણ પોશાક, આધારપણા, નીલાદ્રી બીજે જેવી પરંપરાગત વિધિ થશે. આ રથયાત્રામાં રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન તેમજ ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ ઉપસ્થિત રહેશે.સરખેજ ગાંધીનગર હાઈવે પરના જગન્નાથ મંદિરના પ્રાંગણમાં રથયાત્રા સમયે ઓરિસ્સાના જગન્નાથ પુરીની અનુભૂતિ થશે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)