છેવટે કનિકા કપૂરને હોસ્પિટલમાંથી મળી મુક્તિ

નવી દિલ્હી: કોરોના વાઈરસ કોવિડ-19 પોઝિટીવ બોલીવુડ સિંગર કનિકા કપૂરને છેવટે હોસ્પિટલમાંથી છૂટ્ટી મળી ગઈ છે. કનિકાનો છઠ્ઠો ટેસ્ટ નેગેટિવ આવ્યા પછી તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવી છે. કોરોના વાઈરસથી સંક્રમણની પુષ્ટી થયા બાદથી કનિકા લગભગ 20 દિવસથી લખનૌથી સંજય ગાંધી પીજીઆઈ હોસ્પિટલમાં દાખલ હતી. કનિકાનો આ સતત બીજો ટેસ્ટ છે, જે નેગેટિવ આવ્યો, ત્યારપછી જ તેમને હોસ્પિટલમાં ડિસ્ટચાર્જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે, કનિકા કપૂર 9 માર્ચે લંડનથી ભારત આવી હતી અને ત્યારપછી તેમણે અનેક પાર્ટી અને સમારોહમાં ભાગ લીધો હતો. ત્યારપછી તેમની ઘણી ટીકા થઈ હતી અને કોરોના વાઈરસના લક્ષણો સામે આવ્યા પછી 20 માર્ચથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. કનિકાનો પ્રથમ ટેસ્ટ લખનૌના કેજીએમયૂમાં થયો હતો, ત્યારપછી તેમણે સંજય ગાંધી પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેમના કુલ 6 ટેસ્ટ કરવામાં આવ્યા છે. કનિકાનો પાંચમો અને છઠ્ઠો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.

કનિકા મૂળ લખનૌની રહેવાસી છે અને 1997માં લગ્ન પછી લંડન ચાલી ગઈ હતી. જોકે, 2012માં તેમનો તલાક થઈ ગયો અને તે મુંબઈ આવી ગઈ, જ્યાં તેમણે સિંગિંગમાં કેરિયર અજમાવ્યું. બોલીવુડમાં તેમના અનેક ગીતો હિટ ગયા છે.