ગીર સોમનાથ: ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ની વિભાવના ચરિતાર્થ કરવામાં આવી રહી છે. શંખ સર્કલથી હમીરજી સર્કલ સુધી શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.
જેના રૂટ પર કુલ ૨૦ જેટલાં સ્ટેજ પર કર્ણાટક, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોની કૃતિ રજૂ થઈ રહી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે શૌર્ય યાત્રાના રૂટ પર યક્ષગાન, કૂચિપુડી નૃત્ય મણિયારો રાસ, ભરત-નાટ્યમ સહિત વિવિધતામાં એકતા દર્શાવતા રાજ્યભરના કલાકારો દ્વારા રજૂ થતાં અલગ-અલગ સાંસ્કૃતિક કાર્યક્રમને નિહાળવા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક નાગરિકો ઉમટી પડ્યા હતાં.




