આણંદઃ રાજ્યમાં માર્ગ અકસ્માતનો વધુ એક બનાવ બન્યો છે. આંકલાવના બામણગામ પાસે ગંભીર અકસ્માતની ઘટના બની છે. પ્રાપ્ત માહિતી મુજબ આંકલાવના બામણગામ રોડ પર આવેલા અંબાકુઈ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ યુવાનોનાં મોત થયાં હતાં. આ અકસ્માતની દુર્ઘટના મોડી રાત્રે સર્જાઈ હતી.
આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક પર સવાર ત્રણ યુવાનનોના ઘટનાસ્થળ પર જ મોત થયાં છે. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાથમિક અહેવાલ પ્રમાણે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મૃતક યુવાનો પાદરાના મુજપુર ગામના રહેવાસી હતા. પોલીસે અકસ્માતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
