ગુજરાતમાં સતત બીજા દિવસે ભૂકંપના આંચકા નોંધાયા છે. આજે 8 જૂનના મોડી સાંજે ગીર સોમનાથ જિલ્લાની ધરા ધ્રુજી હતી. જેમાં તાલાલા ગીર ઉપરાંત વેરાવળ, સોમનાથ, ગીર પંથકમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. રિકટર સ્કેલમાં તેની તીવ્રતા 3.5 નોંધાઈ છે. જેનું કેન્દ્ર બિંદુ તાલાલાથી નજીક હોવાનું જાણવા મળ્યું છે. મહત્વનું છે કે, ગઈકાલે કચ્છમાં પણ ધરતીકંપ આવ્યો હતો. અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
