નવી દિલ્હીઃ દેશના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આજે ઇતિહાસ રચવા માટે રવાના થયા છે. એક્સિઓમ-4 મિશને અંતરિક્ષમાં ઉડાન ભરી દીધી છે. શુભાંશુ નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી એક્સિઓમ-4 મિશન અંતર્ગત આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) માટે ઉડાન ભરી હતી. તેમની સાથે ચાર અવકાશયાત્રી જોડાયા છે. આ મિશન અગાઉ અનેક વખત સ્થગિત થયું હતું. ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાના પિતા શંભુ દયાલ શુક્લાએ જણાવ્યું હતું કે આ ખૂબ જ લાગણીસભર ક્ષણ છે. મને ખૂબ જ ગર્વ અને આનંદ થાય છે કે હું આવા બાળકનો પિતા છું. આ મારા જીવનનો સૌથી ખુશીની ક્ષણ છે.
શુભાન્શુ ભારત માટે ખાસ મહત્ત્વ ધરાવતા મિશન લઈને આગળ વધી રહ્યા છે કારણ કે તેઓ ISS સુધી પહોંચનારા ભારતની પ્રથમ વ્યક્તિ બનશે અને 1984માં રાકેશ શર્માના મિશન પછી અંતરિક્ષમાં જનારા બીજા ભારતીય હશે.
શુભાંશુ શુક્લાનો ભાવુક સંદેશ
શુભાંશુએ લોન્ચિંગ પહેલાં એક ભાવુક સંદેશ આપ્યો છે. તેમણે દેશવાસીઓને મિશનની સફળતા માટે દુઆ કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે હું ભારતના લોકોને કહેવા માગું છું કે આ મિશન એક માઇલસ્ટોન છે અને હું ઈચ્છું છું કે તમે બધા તેની સફળતા માટે પ્રાર્થના કરો. આકાશના તારાઓ પણ હાંસલ થઈ શકે છે.
કેનેડી સ્પેસ સેન્ટરથી ઉડાન
શુભાંશુ અને અન્ય ત્રણ અંતરિક્ષ યાત્રીઓને લઈએને Axiom-4 મિશન અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટરથી ઉડાન ભર્યું હતું. આ યાન લગભગ 28 કલાકના પ્રવાસ પછી ગુરુવારે સાંજે 4:30 વાગ્યે ISS સાથે જોડાઈ જશે. અંતરિક્ષયાત્રીઓ ISS પર આશરે 14 દિવસ રોકાઈ વિવિધ વૈજ્ઞાનિક અને તકનિકી પ્રયોગો કરશે. આ મિશન Axiom Space નામની ખાનગી કંપની દ્વારા સંચાલિત છે, જેમાં NASA અને SpaceX પણ સહયોગી છે.
LIVE: @Axiom_Space‘s #Ax4 mission, with crew from four different countries, is about to launch to the @Space_Station! Liftoff from @NASAKennedy is targeted for 2:31am ET (0631 UTC). https://t.co/yBgO8bxb6Z
— NASA (@NASA) June 25, 2025
સાત વખત ટળેલું મિશન હવે તૈયાર
આ મિશન અગાઉ સાત વખત ટેક્નિકલ ખામીઓ અને ISSના મોડ્યુલમાં દબાણ સંબંધિત સમસ્યાના કારણે ટળ્યું હતું. હવે બધાં ટેક્નિકલ કામ પૂરાં થઈ ચૂક્યા છે અને મિશન લોન્ચ માટે સંપૂર્ણ તૈયાર છે.
માતા-પિતાના આશીર્વાદ અને દેશભરની આશા
દેશમાં ઉત્સાહ છે – લખનૌથી લઈ દિલ્હી અને બેંગલુરુ સુધીની નજરો હવે શુભાંશુની ઉડાન પર છે. તેમનાં માતા-પિતાથી લઈને સોશિયલ મિડિયા સુધી શુભેચ્છાઓ ધોધ વહી રહ્યો છે.
