નવી દિલ્હીઃ જો તમે પોતાના પૈસા પર રિસ્ક લીધા વગર ગેરન્ટેડ રિટર્ન પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો પબ્લિક પ્રોવિડન્ડ ફંડ એટલે કે પીપીએફ આપના માટે એક ઉત્કૃષ્ઠ વિકલ્પ છે. પીપીએફ અકાઉન્ટ આપને 24 લાખ રુપિયા વ્યાજની ગેરંટી આપે છે. જો તમે કોઈ એવી સ્કીમમાં રોકાણ કરવા ઈચ્છો છો કે જ્યાં નક્કી વ્યાજ પ્રાપ્ત થાય તો તમે પીપીએફમાં રોકાણ કરી શકો છો. પીપીએફમાં વાર્ષિક 1.5 લાખ રુપિયા રોકીને ટેક્સ પણ બચાવી શકો છો. આ સીવાય આપનું પીપીએફ અકાઉન્ટ જ્યારે મેચ્યોર થશે ત્યારે આપને તેના પૈસા પર કોઈપણ ટેક્સ આપવો નહી પડે.
જો તમે પીપીએફ અકાઉન્ટમાં 15 વર્ષ સુધી વાર્ષિક 1.5 લાખ રુપિયા રોકાણ કરો છો તો આપ 15 વર્ષમાં કુલ 22,50,000 રુપિયા જમા કરશો. પીપીએફ પર વર્તમાન સમયમાં 8 ટકા વ્યાજ મળી રહ્યું છે. આના આધાર પર આપને 15 વર્ષમાં લગભગ 25 લાખ રુપિયા વ્યાજ મળશે. આ પ્રકારે 15 વર્ષમાં જ્યારે આપનું પીપીએફ અકાઉન્ટ મેચ્યોર થશે ત્યારે આપને લગભગ 46,75,914 રુપિયા મળશે. આ પૂરા પૈસા ટેક્સ ફ્રી હશે. એટલે કે આપને આ પૂરી રકમ પર કોઈ ટેક્સ આપવાનો નહી રહે. આ સીવાય આપ આ અકાઉન્ટમાં જે વાર્ષિક 1.5 લાખ રુપિયા જમા કરશો તો આપને તેના પૈસા પર પણ ટેક્સ નહી આપવો પડે.
જો તમે રોકાણમાં જોખમ નથી ઉઠાવવા ઈચ્છતા અને પોતાના પૈસા પર નક્કી વ્યાજ પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો પીપીએફ આપના માટે શાનદાર વિકલ્પ છે. આના દ્વારા આપ 15 વર્ષના સમયગાળામાં મોટું ફંડ બનાવી શકો છો. આપ આ ફંડનો ઉપયોગ ઘર ખરીદવા, બાળકોના હાયર એજ્યુકેશન અથવા અન્ય જરુરતો માટે કરી શકો છો.
એક વ્યક્તિ એક જ પીપીએફ અકાઉન્ટ ખોલી શકે છો. પરંતુ હાં પોતાના બાળકો એટલે કે નાબાલિક માટે તે તેના બિહાફ પર અકાઉન્ટ ખોલી શકે છે. પરંતુ જોઈન્ટ અકાઉન્ટ ખોલી શકાતું નથી. આ અકાઉન્ટને ચાલૂ રાખવા માટે આપ ન્યૂનતમ 500 રુપિયા વાર્ષિક અને વધારેમાં વધારે 150000 રુપિયા વાર્ષિક રીતે જમા કરાવી શકો છો. તો બાળક અથવા નાબાલિકનું અકાઉન્ટ છે તો વાર્ષિક ન્યૂનતમ 100 રુપિયા જમા કરાવવા જરુરી છે.