નિલેશ શાહ AMFIના ચેરમેન, સૌરભ નાણાવટી વાઈસ-ચેરમેન

મુંબઈઃ એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ  ફંડ્સ ઈન ઈન્ડિયા(AMFI) ના ચેરમેન પદે ફરી એકવાર નિલેશ શાહ ચુંટાયા છે. જયારે કે વાઈસ ચેરમેન પદે સૌરભ નાણાવટીની વરણી થઈ છે. આ બંને ગુજરાતી મ્યુચ્યુઅલ ફંડ ઉધોગમાં અગ્રેસર નામ ધરાવે છે . નિલેશ શાહ કોટક એસેટ મેનેજમેન્ટ કંપનીના (મ્યુચ્યુઅલ ફંડ) મેનેજિંગ ડિરેકટર છે અને સૌરભ નાણાવટી ઈન્વેસ્કો એસેટ મેનેજમેન્ટ ઈનિડયા પ્રા.કંપનીના ચીફ એકિઝકયુટિવ ઓફિસર છે. એમ્ફી એ દેશના તમામ મ્યુચ્યુઅલ ફંડનું સેબી માન્ય એસોસીએશન છે. મ્યુચ્યુઅલ ફંડ ઉધોગનું તે સેલ્ફ રેગ્યુલેટરી ઓર્ગેનાઈઝેશન છે.

(ડાબે) નિલેશ શાહ, સૌરભ નાણાવટી (જમણે)

શાહ AMFI ફાઈનાન્સિયલ લિટરસી કમિટીના એક્સ-ઓફિશિયો ચેરમેન પદે પણ ચાલુ રહેશે.  AMFI વેલ્યુએશન કમિટીના ચેરમેન પદે આદિત્ય બિરલા સન લાઈફ એસેટ મેનેજમેન્ટ કંપનીના CEO એ. બાલાસુબ્રહમણ્યનને અને AMFI ઓપરેશન એન્ડ કોમ્પ્લાયન્સ કમિટીના ચેરમેનપદે ફ્રેન્કલિન ટેમ્પલ્ટન એસેટ મેનેજમેન્ટ કંપનીના CEO સંજય સપ્રેને પુનઃ ચૂંટવામાં આવ્યા છે.

આઈડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપનીના CEO વિશાલ કપૂરને AMFI સ્ટેન્ડિંગ કમિટી ઓફ સર્ટિફાઈડ ડિસ્ટ્રિબ્યુટર્સના ચેરમેન પદે અને એડલવિસ એસેટ મેનેજમેન્ટનાં CEO રાધિકા ગુપ્તાને AMFI ઈટીએએફ કમિટીના ચેરમેન પદે ચૂંટી કાઢવામાં આવ્યાં છે.આ તમામ હસ્તીઓ મ્યુચ્યુઅલ ફંડ ઉધોગના અગ્રણીઓમાં સ્થાન ધરાવે છે.