ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પરનો પ્રતિબંધ 31-જાન્યુઆરી સુધી લંબાવાયો

નવી દિલ્હીઃ કોરોના વાઈરસ રોગચાળાનું જોખમ હજી ચાલુ રહેતાં ભારત સરકારે શેડ્યૂલ્ડ કમર્શિયલ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને સ્થગિત રાખવાનો નિર્ણય 2021ની 31 જાન્યુઆરી સુધી લંબાવી દીધો છે. આ નિયંત્રણો જોકે ઈન્ટરનેશનલ એર-કાર્ગો કામગીરીઓ તેમજ રેગ્યુલેટર એજન્સી ડીજીસીએ દ્વારા મંજૂરી પામેલી વિશેષ ફ્લાઈટ્સને લાગુ નહીં પડે.

ભારત સરકારે દેશમાં કોરોના વાઈરસના ફેલાવાને કાબૂમાં રાખવા માટે ગયા માર્ચ મહિનામાં દેશવ્યાપી લોકડાઉન લાગુ કર્યા બાદ તમામ ઈન્ટરનેશનલ તથા ડોમેસ્ટિક ફ્લાઈટ્સને સસ્પેન્ડ કરી દીધી હતી. જોકે ડોમેસ્ટિક ફ્લાઈટ્સને બાદમાં નિયંત્રિત સ્વરૂપે ચાલુ કરવાની પરવાનગી આપવામાં આવી હતી.