બજેટ-2024: સરકાર પર્સનલ ટેક્સ દર ઓછો કરે એવી શક્યતા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર આગામી બજેટ 2024માં કેટલીક કેટેગરીમાં વ્યક્તિગત રીતે પર્સનલ ટેક્સ દરોને ઓછો કરવા પર વિચાર કરી રહી છે, જેનાથી એશિયાની ત્રીજી સૌથી મોટા અર્થતંત્રમાં કન્ઝમ્પશન (ખપત)ને વધારવામાં મદદ મળી રહી છે.

આ યોજનાનું એલાન નાણાપ્રધાન દ્વારા જુલાઈમાં રજૂ થનારા બજેટમાં કરવામાં આવે એવી શક્યતા છે. ચૂંટણી પહેલાં થયેલા એક સર્વેમાં મતદારોએ મોંઘવારી, બેરોજગારીને અને ઓછી થતી આવકને લઈને ચિંતા વ્યક્ત કરી હતી, જ્યારે ભારતીય અર્થતંત્ર 2023-24માં 8.2 ટકાના દરથી વધ્યું હતું, જ્યારે કન્ઝમ્પશન એનાથી અડધા દરે વધ્યું હતું.

વડા પ્રધાન મોદીએ NDA સરકાર બનાવવાનો દાવો રજૂ કરતાં કહ્યું હતું કે તેમની સરકાર મધ્યમ વર્ગની બચત વધારવા અને તેમના જીવન સ્તરમાં સુધારો લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. સૂત્રોએ કહ્યું હતું કે વ્યક્તિગત ટેક્સમાં કાપથી અર્થતંત્રમાં ખપતને પ્રોત્સાહન મળશે અને મધ્યમ વર્ગ માટે બચતમાં વધારો થવાની શક્યતા છે.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિઓને કેટલીક ટેક્સ રાહત મળી શકે છે, એમાં વાર્ષિક રૂ. 15 લાખથી વધુની આવકવાળા કરદાતાઓ સામેલ છે, જેમાં રૂ. 15 લાખ સુધીની વાર્ષિક આવક પર પાંચ ટકા-20નો ટેક્સ દર લગાવવામાં આવે એવી શકયતા છે, જ્યારે રૂ. 15 લાખથી વધુની આવક પર 30 ટકા કર લગાવવામાં આવે એવી ધારણા છે.

અહેવાલ કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિની આવક રૂ. ત્રણ લાખથી વધીને રૂ. 15 લાખ સુધી –પાંચ ગણી વધી જાય છે તો પર્સનલ ટેક્સનો દર છ ગણો વધી જાય છે, જે ઘણો વધુ છે. જેથી સરકાર રૂ. 10 લાખની વાર્ષિક આવક માટે પર્સનલ ટેક્સ દરોને ઓછા કરવા પર વિચાર કરે એવી શક્યતા છે. આ ઉપરાંત જૂની કર પદ્ધતિ હેઠળ 30 ટકાના મહત્તમ દરનો કર લગાવવાવાળી આવક માટે એક નવી સીમા પર ચર્ચા કરવામાં આવી રહી છે, એમ સૂત્રોએ કહ્યું હતું.