નોટબંધીઃ બેંકોમાં જમા કરાયેલા બેહિસાબી નાણાં પર વસૂલાશે ટેક્સ

મુંબઈઃ સીબીડીટીના ચીફે અધિકારીઓએ જણાવ્યું છે કે નોટબંધી બાદ ત્રણ લાખ કરોડ રૂપિયાની જે ડિપોઝિટ મામલે સંતોષજનક જવાબ નથી મળ્યાં તેમના પર ટેક્સ વસૂલ કરવામાં આવે.સીબીડીટીના ચેરમેન સુશીલ ચંદ્રાએ હમણા જ એક વિડિયો કોન્ફન્સ દ્વારા ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના સીનિયર અધિકારીઓને આ મેસેજ આપ્યો છે. જો 3 લાખ કરોડ આવી ડિપોઝીટ વિશે માહિતી મળી જાય તો ડાયરેક્ટ ટેક્સ કલેક્શન વધી જશે, જેના કારણે સુસ્ત ઈકોનોમીવાળા આ દોરમાં સરકારને રાહત મળશે. કેંદ્ર આ દ્વારા નોટબંધી સફળ થવાનો દાવો પણ કરી શકે છે જેના કારણે વિપક્ષી દળ આર્થિક વિકાસ દરમાં થયેલા ઘટાડાને કારણ બતાવી રહ્યાં છે.

જે લોકો નોટબંધી બાદ બેંકોમાં જમા કરવામાં આવેલી રકમના સ્ત્રોત અંગે સંતોષજનક જવાબ નથી આપી શક્યાં તેવા લોકો માટે ટેક્સ અધિકારી કડકાઈ અપનાવી શકે છે. તેઓ તે રકમ પર 60 ટકા જેટલો ટેક્સ લગાવી શકે છે. જો કે આ કામ કેસ ટુ કેસ બેઝિસ પર કરવાનું રહેશે જેમાં લાંબો સમય લાગી શકે છે. સીબીડીટીના પ્રવક્તાએ જણાવ્યું કે ચેરમેને અધિકારીઓને 2017-18ના ટેક્સ કલેક્શનના બજેટ એસ્ટિમેટને પૂરું કરવા માટે કામ કરવાના નિર્દેશો આપ્યા છે. એક વર્ષ પહેલાંથી જ 15.3 ટકાથી વધારે ટેક્સ કલેક્શન છે.