કેજરીવાલે એલજી સાથે મુલાકાતનો સમય માંગ્યો

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે એલજી વીકે સક્સેના સાથે મુલાકાતનો સમય માંગ્યો છે. આમ આદમી પાર્ટીએ કહ્યું કે સીએમ કેજરીવાલ આવતીકાલે તેમના પદ પરથી રાજીનામું આપી શકે છે. તમને જણાવી દઈએ કે, સીએમ કેજરીવાલે રવિવારે જાહેરાત કરી હતી કે તેઓ બે દિવસ પછી પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે.

તમને જણાવી દઈએ કે, સીએમ કેજરીવાલે રવિવારે AAP કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા અને રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી લોકો તેમને ઈમાનદારીનું પ્રમાણપત્ર નહીં આપે ત્યાં સુધી તેઓ મુખ્યમંત્રીની ખુરશી પર બેસશે નહીં. તેમણે રાષ્ટ્રીય રાજધાનીમાં વહેલી ચૂંટણીની પણ માંગ કરી હતી.