વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે અદાણી જૂથની રેકોર્ડ મૂડીરોકાણની પ્રતિબદ્ધતા

અમદાવાદ: અદાણી એન્ટરપ્રાઇઝીસની વાર્ષિક સામાન્ય સભાને સંબોધતાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જૂથના મજબૂત પ્રદર્શન પર ભાર મૂક્યો, તેમણે રાષ્ટ્રીય મિશનને પુનઃપુષ્ટિ આપતાં ભારતમાં મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં રેકોર્ડબ્રેક મૂડીરોકાણોનું વચન આપ્યું હતું.

તેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતના સશસ્ત્ર દળોએ દાખવેલી હિંમત બિરદાવી તેમ જ એર ઇન્ડિયા ફ્લાઇટ ૧૭૧ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં, નેતૃત્વ સાથે આવતી ઊંડી જવાબદારીઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારતના વધતા વૈશ્વિક કદ પાછળના પ્રયાસોને યાદ કરતાં કહ્યું હતું કે શાંતિ ક્યારેય મફતમાં મળતી નથી, તેને હાંસલ કરવી પડે છે.

US નિયમનકારી પૂછપરછ સહિત ચકાસણીથી ચિહ્નિત વર્ષમાં અદાણીએ જૂથ દ્વારા વૈશ્વિક ધોરણોનું પાલન કરવાની તેમણે પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે અદાણી ગ્રુપમાંથી કોઈ પર FCPAનું ઉલ્લંઘન કરવાનો કે ન્યાયમાં અવરોધ ઊભો કરી કાવતરું ઘડવાનો આરોપ મૂકવામાં આવ્યો નથી.તેમણે ઉમેર્યું હતું કે સત્ય ઘણી વાર નકારાત્મકતા કરતાં નરમ બોલે છે, પરંતુ તેનું વજન વધુ હોય છે.

અદાણી જૂથના મુખ્ય વ્યવસાયિક સીમાચિહ્નો

  • અદાણી પાવર ૧૦૦ અબજ યુનિટથી વધુનું ઉત્પાદન કરે છે.
  • અદાણી ગ્રીન ખાવડામાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક વિકસાવી રહ્યું છે.
  • અદાણી એનર્જી સોલ્યુશન્સે નવા ઓર્ડરમાં રૂ. ૪૪,૦૦૦ કરોડ મેળવે છે.
  • અદાણી પોર્ટ્સ ૪૫૦ MMT કાર્ગો હેન્ડલ કરે છે.
  • અદાણી એરપોર્ટ ૯૪ મિલિયન મુસાફરોને સેવા આપે છે.
  • અદાણી ડિફેન્સના ડ્રોન અને એન્ટી-ડ્રોન ટેકનો ઉપયોગ ઓપરેશન સિંદૂરમાં થઈ રહ્યો છે.
  • અદાણી સિમેન્ટે સમય પહેલાં ૧૦૦ MTPA ક્ષમતા પાર કરી રહી છે.
  • અદાણી ટોટલ ગેસ હવે ૨૨ રાજ્યોમાં ૩૪૦૦ EV ચાર્જિંગ સ્ટેશન ચલાવી રહ્યું છે.
  • અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રીઝ તેની ૧૦ GW સોલર મેન્યુફેક્ચરિંગ સુવિધાને આગળ ધપાવી રહી છે.
  • ધારાવી રિડેવલપમેન્ટ ૧૦ લાખથી વધુ લોકોને ગૌરવ અને આધુનિક સુવિધાઓ સાથે સ્થાનાંતરિત કરવાની તૈયારી કરી રહ્યું છે.

અદાણી ગ્રુપે આવકમાં રૂ. 2.71 લાખ કરોડ અને સમાયોજિત EBITDAમાં રૂ. 89,806 કરોડ નોંધાવ્યા છે. આગામી પાંચ વર્ષમાં વાર્ષિક મૂડીખર્ચ $15-20 બિલિયનને સ્પર્શવાનો અંદાજ હોવા છતાં 2.6x નો સ્વસ્થ ચોખ્ખો EBITDA ગુણોત્તર જાળવી રાખવામાં આવ્યો હતો.

તેમણે વ્યવસાયો ઉપરાંત આરોગ્ય, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે પ્રતિબદ્ધ રૂ. 60,000 કરોડના પરોપકારી પ્રયાસોની રૂપરેખા આપી હતી. તેમણે જાહેરાત કરી કે અમદાવાદ અને મુંબઈમાં અદાણીની આગામી 1000 બેડની હોસ્પિટલોને માયો ક્લિનિક દ્વારા સસ્તી વિશ્વ કક્ષાની સંભાળ પૂરી પાડવા માટે ટેકો આપવામાં આવશે.

મહાકુંભ મેળાની વાત કરતાં તેમણે જણાવ્યું કે તેમાં અદાણી જૂથે મુખ્ય ભૂમિકા ભજવી હતી. 5000થી વધુ કર્મચારીઓએ મહાપ્રસાદ સેવામાં સ્વયંસેવા આપી હતી અને લાખો યાત્રાળુઓને મફત ભોજનનું વિતરણ કર્યું હતું.