અમદાવાદઃ અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ.ની સહાયક કંપની અને દેશના સૌથી મોટો ખાનગી એરપોર્ટ ઓપરેટર અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ્સ લિ. (AAHL)એ આંતરરાષ્ટ્રીય બેંકોના કોન્સોર્શિયમ પાસેથી ECB પાસેથી 75 કરોડ (750 મિલિયન) અમેરિકી ડોલર ઊભા કર્યા છે. આ ફંડ કંપનીએ ફર્સ્ટ અબુ ધાબી બેન્ક અને બાર્કલેઝ PLC અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ પાસેથી ઊભું કર્યું છે.
આ ફંડનો ઉપયોગ હાલના દેવાંનો રિફાઇનાન્સિંગ કરવા અને અમદાવાદ, લખનૌ, મંગલુરુ, જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમ જેવાં છ એરપોર્ટ્સ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ અને ક્ષમતા વિસ્તરણ માટે કરવામાં આવશે તેમ જ નોન-એરોનોટિકલ બિઝનેસ જેમ કે રિટેલ, F&B, ડ્યુટી ફ્રી અને સર્વિસીઝના વિસ્તાર માટે પણ આ ફંડ વાપરવામાં આવશે.
AAHLએ નાણાકીય 2024–25માં 9.4 કરોડ મુસાફરોને સેવા આપી હતી, જ્યારે કુલ ક્ષમતા 11 કરોડ પેસેન્જરોની હતી. કંપનીનું લક્ષ્ય 2040 સુધીમાં દર વર્ષે 300 મિલિયન મુસાફરોને સેવા આવતાની અને ક્ષમતા વધારવાનું છે. આ યોજનાનો ભાગરૂપે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ ટૂંક સમયમાં કાર્યરત થવાનું છે, જે પહેલા તબક્કામાં બે કરોડ મુસાફરોને સેવા આપવાનું અને આગામી તબક્કાઓમાં નવ કરોડ પેસેન્જરોની ક્ષમતા વધારવાનું છે, જે મુંબઈ પ્રદેશની એવિયેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂતી આપશે.
કંપનીના CEO અરુ બાંસલે જણાવ્યું હતું કે વિશ્વના અગ્રણી નાણાકીય સંસ્થાઓએ અમારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, તે ભારતના એવિયેશન માળખાની લાંબા ગાળાના મૂલ્ય અને સંભાવનાને દર્શાવે છે. કંપની ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઉત્તમ ગ્રાહક સેવા પૂરી પાડવા પ્રતિબદ્ધ છે.
આ ટ્રાન્ઝેક્શન માટે ઇન્ગ્લિશ લો કાઉન્સેલ તરીકે લાથમ અને વોટકિન્સ LLP અને લિન્કલેટર્સ LLP રહ્યા હતા, જ્યારે ભારતીય કાયદાના કાઉન્સેલ તરીકે સિરિલ અમરચંદ મંગળદાસ અને TT & Aએ કામગીરી સંભાળી હતી.
