ગુજરાતમાં આજે 13 IAS અધિકારીઓને બદલી-બઢતીના આદેશ આપવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ IAS અશ્વની કુમાર, સરકાર, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના અગ્ર સચિવની બદલી કરવામાં આવી છે તેમજ કે.કે. નિરાલા, IASની બદલી થતાં, IAS આરતી કંવર, સરકારના સચિવ, નાણાં વિભાગ આગામી આદેશ સુધી સરકારના નાણાં વિભાગ (ખર્ચ)ના સચિવ પદનો વધારાનો હવાલો સંભાળશે.
