ઝારખંડના જામતારામાં ટ્રેનની અડફેટે આવ્યા 12 લોકો; 2 ના મૃત્યુ

ઝારખંડના જામતારા જિલ્લામાં બુધવારે રાત્રે એક દર્દનાક ટ્રેન અકસ્માત થયો હતો. કાલઝરિયા પાસે 12 લોકો ટ્રેનની અડફેટે આવી ગયા હતા, જેમાંથી 2ના મોત થયા હતા. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. જેમાંથી ઘણાની હાલત નાજુક છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ તમામ આસનસોલ-ઝાઝા પેસેન્જર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. ટેક્નિકલ ખામીના કારણે ટ્રેન કાલઝરિયા પાસે રોકાઈ ગઈ હતી. આ દરમિયાન લોકો ટ્રેનમાંથી નીચે ઉતરીને રેલવે ટ્રેક પર ઉભા રહી ગયા હતા. ત્યારે સામેથી આવતી ભાગલપુર-યસવંતપુર એક્સપ્રેસે તેને ટક્કર મારી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર જામતારા-કરમટાંડના કાલઝરિયા પાસે ટ્રેનની અડફેટે આવી જતાં 12 જેટલા લોકોના કરૂણ મોત થયા છે. આ અકસ્માતમાં અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ટ્રેન દુર્ઘટના બાદ રેલ્વે પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. પોલીસ-પ્રશાસનને મદદ કરવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ ઘટનાસ્થળે હાજર છે.