રાષ્ટ્રપતિએ ‘INS શિવાજી’ સંસ્થાને ધ્વજ પ્રદાન કર્યો…

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, જેઓ ભારતીય સંરક્ષણ દળોના સુપ્રીમ કમાન્ડર છે, એમણે 13 ફેબ્રુઆરી, ગુરુવારે લોનાવલામાં આયોજિત કાર્યક્રમમાં ભારતીય નૌકાદળની પ્રશિક્ષણ સંસ્થા 'INS શિવાજી'ને 'પ્રેસિડન્ટ કલર'થી સમ્માનિત કરી હતી. રાષ્ટ્રપતિએ આ પ્રસંગે કહ્યું કે 'INS શિવાજી' સંસ્થાએ આટલા વર્ષોમાં દેશ માટે સમર્પિત કરેલી શાનદાર સેવા બદલ અને નૌકાદળમાં ઉલ્લેખનીય યોગદાન આપવા બદલ દેશ એને સલામ કરે છે.


આ પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંગ કોશિયારી, નૌકાદળના વડા એડમિરલ કરમબીર સિંહ, વાઈસ-એડમિરલ અને ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ, સધર્ન નેવલ કમાન્ડ એ.કે. ચાવલા તથા સંરક્ષણ દળના અન્ય વરિષ્ટ અધિકારીઓ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રસંગે ભારતીય નૌકાદળના 130 અધિકારીઓ અને 630 નૌસૈનિકોએ રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને પરંપરાગત પરેડ રજૂ કરી હતી.