પીએમ મોદીએ સરહદના જવાનોને મળી દિવાળી ઉજવી…

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 27 ઓક્ટોબર, રવિવારે દિવાળી તહેવાર નિમિત્તે સવારે જમ્મુ અને કશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) પર જઈને દેશની સીમાનું રક્ષણ કરતા ભારતીય સેનાનાં જવાનોને મળ્યા હતા અને એમની સાથે દિવાળીનો તહેવાર ઉજવ્યો હતો. મોદીએ જવાનોને મીઠાઈ ખવડાવી હતી અને એમનું મનોબળ વધાર્યું હતું.