સંતોએ વિકલાંગ બાળકોની સંસ્થાનું ભૂમી પૂજન કર્યું

જુનાગઢઃ બિલખામાં કાર્યરત થનારી વિકલાંગ બાળકોની સંસ્થાના ભૂમી પૂજનનો કાર્યક્રમ આજે યોજાયો હતો. આ પ્રસંગે બે મહામંડલેશ્વર સંતોએ હાજરી આપી હતી અને જણાવ્યું હતું કે માનસિક વિકલાંગ બાળકોની સેવા એ જ સાચી સમાજ સેવા છે. આ પ્રસંગે ભારતી બાપુ અને કૈલાશાનંદ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.