‘નેવી ડે’ ઉજવણીઃ ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે બીટિંગ રીટ્રિટ સેરેમની…

ભારતીય નૌકાદળ દર વર્ષની 4 ડિસેમ્બરે ‘ભારતીય નૌકાદળ દિવસ’ (ઈન્ડિયન નેવી ડે)ની ઉજવણી કરે છે. આ ઉજવણી કાર્યક્રમ એક સપ્તાહ પૂર્વે શરૂ કરવામાં આવે છે. કાર્યક્રમના ભાગરૂપે મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા સ્મારક ખાતે નૌસૈનિકોએ ‘બીટિંગ રીટ્રિટ’ સેરેમનીમાં ભાગ લીધો હતો અને પરફોર્મ કર્યું હતું. આ સેરેમની સાથે નૌસૈનિકો નેવી વીક ઉજવણીની પૂર્ણાહુતિ સાથે પોતપોતાની કામગીરીના સ્થાને પાછાં ફરશે. ‘નેવી ડે’ નિમિત્તે દેશના વીર તથા સેવા, સમર્પણ અને સાહસ સાથે દેશહિતમાં સમર્પિત થનાર નૌસૈનિકોને હાર્દિક અભિનંદન અને શુભેચ્છા. (તસવીરો: દીપક ધુરી)