અમદાવાદ– મુસ્લિમ બિરાદરો માટે મહત્ત્વના માતમના પર્વ મહોર્રમને લઈને અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં મુસ્લિમ બિરાદરોએ તાજીયા જૂલુસ કાઢ્યાં હતાં. વિવિધ વિસ્તારોના તાજીયાની કલાકારીગરી રાહદારીઓ માટે ધ્યાન ખેંચનાર બની રહી હતી. તાજીયા જૂલુસમાં નોંધનીય છે કે કરબલાના મેદાનમાં પયગંબર મોહમ્મદના સાથીઓની અપ્રતિમ કુરબાનીની યાદમાં માતમના પર્વ તરીકે વિશ્વભરમાં મનાવવામાં આવે છે.
અહેવાલ-તસવીર પ્રજ્ઞેશ વ્યાસ
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)