મધ્યગીરઃ કનકાઈ માતાજીનો પાટોત્સવ

મધ્યગીરઃ જુનાગઢથી 75 કિ.મી દુર ગીરમાં સ્થિત કનકાઈ માતાના મંદિરે માતાજીના પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મધ્યગીરના ગાઢ જંગલની વચ્ચે આઈ શ્રી કનકાઈ માતાનું મંદિર આવેલું છે. પ્રતિવર્ષ કનકેશ્વરી ટ્રસ્ટ દ્વારા ચૈત્ર નવરાત્રી મહોત્સવ ધામધુમથી ઉજવવામાં આવે છે. પ્રતિવર્ષ યોજાતા મહોત્સવમાં લાખોની સંખ્યામાં માં કનકેશ્વરીના ભક્તો ઉમટી પડે છે અને માતાજીના દર્શન કરી તેમજ માતાજીનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતાની અનુભૂતી કરે છે. (તસ્વીર- વિજય ત્રિવેદી)