જનતા કર્ફ્યૂઃ કોરોના સામેની લડાઈમાં ભારત પણ છે દુનિયાની સાથે…

દુનિયાભરમાં હજારો લોકોને બીમાર પાડી એમના મૃત્યુ નિપજાવી, લાખો લોકોને બીમાર પાડી દઈ હાહાકાર મચાવી દેનાર ખતરનાક એવા કોરોના વાઈરસ સામેની લડાઈમાં આજે ભારતવાસીઓ પણ વધારે મક્કમ બની ગયા છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને માન આપીને આજે સવારે 7 વાગ્યાથી સ્વૈચ્છિક, સ્વયંભૂ 'જનતા કર્ફ્યૂ'નો અમલ શરૂ કરી દીધો છે.


કોરોના વાઈરસ વધારે ન ફેલાય એટલા માટે પીએમ મોદીએ 'જનતા કર્ફ્યૂ' પાળવાની અપીલ કરી છે. દેશની 1 અબજ 30 કરોડ જેટલી જનતા જો એક દિવસ માટે 'હોમ ક્વોરન્ટીન' નિયમ અપનાવશે તો આ વાયરસનો ફેલાવો નબળો પડી જશે એવી ખાતરી સાથે વડા પ્રધાને જનતા કર્ફ્યૂની હાકલ કરી છે.


શનિવારની મધરાતથી રવિવારે રાતે 10 વાગ્યા સુધી દેશના કોઈ પણ રેલવે સ્ટેશનેથી પેસેન્જર ટ્રેન ઉપાડવાનું બંધ રાખવામાં આવ્યું છે, તેથી રેલવે સ્ટેશનો ખાલીખમ દેખાય છે


ભરૂચમાં જનતા કર્ફ્યુને સજ્જડ પ્રતિસાદઃ વાહનોથી ધમધમતો ગોલ્ડનબ્રિજ ખાલીખમ






























 

કોરોના વાઈરસનો ફેલાવો રોકવા આજે મુંબઈમાં જનતા કર્ફ્યૂને કારણે સજ્જડ બંધ.

અંધેરીથી ચર્ચગેટ તરફ જતી ટ્રેનમાં જૂજ પ્રવાસી.

અંધેરી સ્ટેશનના પૂલ પરનું દ્રશ્ય. સામાન્ય રીતે પગ મૂકવાની જગ્યા ન હોય એ પૂલ આજે ખાલીખમ છે.

બાન્દ્રા (વેસ્ટ)માં રેલવે સ્ટેશનની બહારનું દ્રશ્ય.

(વિડિયોગ્રાફીઃ દીપક ધુરી)