મોબાઈલ ફોનને કેવી રીતે કરશો સેનેટાઈઝ્ડ?

કોરોનાવાઈરસ: તમે કોરોનોવાઈરસ સામે લડવા માટે નિયમિતપણે તમારા હાથ ધોઈ રહ્યા છો? તમારા હાથની જેમ, તમારે ફોનને પણ જંતુમુક્ત રાખવો પડશે. (તમારા ફોનને જંતુમુક્ત કરો) અહીં અમે તમને તમારા ફોનને નિયમિત રૂપે જીવાણુ મુક્ત રાખવાની કેટલીક ટીપ્સ વિશે જણાવી રહ્યા છીએ…

કોરોના વાઈરસ એકથી બીજામાં ફેલાય નહીં તે માટે સ્વચ્છતા જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. હેન્ડવોશિંગ અથવા હેન્ડ સેનિટાઇઝર જેવા સરળ પગલાં તમને ચેપ સામે લડવામાં મદદ કરી શકે છે. તમારા હાથ દિવસ દરમ્યાન ઘણી વસ્તુઓને સ્પર્શ કરે છે. જો તમે કોઈ પણ વસ્તુને સ્પર્શ કરો છો જે ચેપગ્રસ્ત છે, તો તે તમારા શરીરની અંદર વાયરસ ફેલાવવાનું સરળ બનાવી શકે છે. હેન્ડવોશિંગ અથવા હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ તમને વાઈસરને મારવામાં મદદ કરી શકે છે.

તમારો મોબાઇલ ફોન દિવસ દરમ્યાન અનેક કલાકો સુધી તમારા હાથમાં રહે છે. આનાતી તમને સંક્રમણનો ખતરો વધારે હોય છે. કોઈપણ વસ્તુને સ્પર્શ કર્યા પછી તમારો મોબાઇલ ફોન પકડી રાખવો, જેમાં કોઈ વાઈરસ છે, આ વાઈરસ ફોન પર આવી શકે છે. વાઈરસના આ ટ્રાન્સફોર્મેશનને રોકવા માટે  તમારે તમારા મોબાઇલ ફોનને વારંવાર જંતુરહિત કરવો પડશે.

જ્યારે લોકોને ઉધરસ કે છીંક આવે છે, ત્યારે આપણા મોબાઇલ ફોનની સ્ક્રીન વાયરસનું વાહક બની શકે છે. જો તમે મોબાઇલ ફોનનો ઉપયોગ તેને સાફ કર્યા વગર કરી રહ્યા હો, તમને ચેપ લાગવાની સંભાવના છે. જાહેર સ્થળોએ તમારા ખિસ્સામાંથી અથવા બેગમાંથી મોબાઇલ ફોન લેવાનું ટાળવાનો પ્રયત્ન કરો.

તમારા ફોનને જીવાણુમુક્ત કેવી રીતે કરવો?

ડો.દીપક વર્માએ ફોનને જીવાણુમુક્ત કરવાની રીત સમજાવતા તેઓ કહે છે કે મોબાઈલ ફોનની સ્વચ્છતા જાળવવી મહત્વપૂર્ણ છે. એન્ટીવાયરલ વાઇપનો ઉપયોગ કરો અથવા સ્ક્રીન પર અને તમારા ફોન પર સેનિટાઇઝરના થોડા ટીપાં લગાવી સાફ કરો. વૈકલ્પિક રીતે તેને સાફ કરવા માટે કપડું તમારી પાસે રાખો. ધ્યાન રાખો કે ફોનનો ઉપયોગ કરતા પહેલા તેની સફાઈ કરી લો.