વિપક્ષી જોડાણ ‘ઈન્ડિયા’ના નેતાઓની પત્રકાર પરિષદ

28 વિરોધ પક્ષોના બનાવવામાં આવેલા જોડાણ ‘ઈન્ડિયા’ના સભ્ય પક્ષો – કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને શિવસેના (યૂબીટી)ના નેતાઓએ 30 ઓગસ્ટ, બુધવારે મુંબઈમાં વાકોલા (સાંતાક્રુઝ પૂર્વ) વિસ્તારસ્થિત ગ્રેન્ડ હયાત હોટેલમાં પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. આ પ્રસંગે કોંગ્રેસના નાના પટોલે, અશોક ચવ્હાણ, એનસીપીના શરદ પવાર, શિવસેના (યૂબીટી)ના ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત તથા અન્ય નેતાઓએ હાજરી આપી હતી. નેતાઓએ કહ્યું હતું કે ‘ઈન્ડિયા’ જૂથમાં સામેલ વિરોધ પક્ષોની જુદી જુદી વિચારધારા છે, પરંતુ એમનો ધ્યેય એક જ છે – 2024ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભારતીય જનતા પાર્ટીને પરાજિત કરવાનો. (તસવીરકારઃ દીપક ધુરી)

‘ઈન્ડિયા’ જૂથના નેતાઓની 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બર, એમ બે દિવસ માટે મુંબઈમાં બેઠક યોજાવાની છે, જેમાં તમામ સભ્ય પક્ષોના વડાઓ હાજરી આપશે.