મુંબઈની ક્રાફર્ડ માર્કેટમાં ભીષણ આગ…

દક્ષિણ મુંબઈમાં આવેલી દાયકાઓ જૂની મહાત્મા ફૂલે માર્કેટ (જૂનું નામ ક્રાફર્ડ માર્કેટ)માં 11 જૂન, ગુરુવારે સાંજે લગભગ 6.15 વાગ્યાના સુમારે ભીષણ આગ લાગી હતી. આગ બુઝાવવા માટે અગ્નિશામક દળના જવાનો 10 ગાડીઓ સાથે ત્યાં પહોંચી ગયા હતા. આગ લાગવાનું કારણ તત્કાળ જાણવા મળ્યું નહોતું. સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી.

હોલસેલ બજાર ક્રાફર્ડ માર્કેટમાં શાકભાજી, ફળ, મરઘા-બતકાં, આયાતી ફૂડ આઈટમ્સ વગેરેની અસંખ્ય દુકાનો આવેલી છે. આ બજાર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે સ્ટેશનથી થોડેક જ દૂર આવેલી છે.