AAPનો ચૂંટણીઢંઢેરોઃ ચોવીસ કલાક વીજપૂરવઠાનું વચન…

દિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણી માટે શાસક આમ આદમી પાર્ટી (AAP)એ પોતાનું ચૂંટણી ઘોષણાપત્ર 4 ફેબ્રુઆરી, મંગળવારે રિલીઝ કર્યું છે. મુખ્ય પ્રધાન અને AAPના વડા અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયા તથા કેબિનેટ પ્રધાન ગોપાલ રાયે પત્રકાર પરિષદમાં પક્ષના ચૂંટણી ઘોષણાપત્રને રિલીઝ કર્યું હતું. દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ મતદાન છે અને 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર કરાશે.


ચૂંટણીઢંઢેરામાં પક્ષે દિલ્હીની જનતાને ગુણવત્તાસભર શિક્ષણ, આરોગ્ય, પીવાનું સ્વચ્છ પાણી અને ચોવીસ કલાક વીજપૂરવઠો પૂરો પાડવાનું વચન આપ્યું છે.