કોરોના સંકટઃ બેઘર-ગરીબોને આશરો…

કોરોના વાઈરસ મહાબીમારી ફેલાઈ છે ત્યારે મુંબઈની પડોશના થાણે જિલ્લાના મીરા રોડ ઉપનગરના મીરા-ભાયંદર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા એક કામચલાઉ શેલ્ટર હોમમાં બેઘર અને ગરીબ લોકોને આશરો આપવામાં આવ્યો છે. કોરોના બીમારી વધુ ફેલાય નહીં એટલા માટે દેશભરમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન લાગુ છે અને રસ્તાઓ પરથી બેઘર-ગરીબોને હટાવી આશ્રયસ્થાનમાં રાખવાના સરકારી આદેશને પગલે એવા લોકોને મીરા-ભાયંદર સ્થિત એક મકાનમાં આશરો આપવામાં આવ્યો છે. આ સ્થળે લોકોને કેન્દ્ર સરકારે નક્કી કરેલી માર્ગદર્શિકાઓ અનુસાર સ્વચ્છ વાતાવરણમાં અને સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમ અનુસાર રાખવામાં આવે છે. અહીં નિરાશ્રીતોને મફતમાં ભોજન પણ પૂરૂં પાડવામાં આવે છે. (તસવીરોઃ દીપક ધુરી)