નવરાત્રી એ સમગ્ર ગુજરાતના લોકો માટે આસ્થાના મહાન પર્વ સમાન છે. રાજ્ય સહિત સમગ્ર દેશમાં નવરાત્રીમાં ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અને ખેલૈયાઓ મન મુકીને આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે અનંત નેશનલ યુનિવર્સિટીના વિદ્યાર્થીની આગેવાની હેઠળ શુક્રવારે સંસ્કારધામ મેદાન ખાતે ગરબા કાર્યક્રમ યોજાયો હતો.
