સંજય દત્ત પહોંચ્યો અંબાણી હોસ્પિટલ…

બોલીવૂડ અભિનેતા સંજય દત્તને ફેફસાંનું કેન્સર થયું હોવાનું નિદાન થયું છે. આ માટે વધુ તબીબી ટેસ્ટ કરાવવા માટે એ 25 ઓગસ્ટ, મંગળવારે મુંબઈમાં બાન્દ્રાસ્થિત એના નિવાસસ્થાનેથી અંધેરી (વેસ્ટ)સ્થિત કોકિલાબેન અંબાણી હોસ્પિટલે જવા રવાના થયો હતો. એની સાથે એની પત્ની માન્યતા અને બહેન પ્રિયા દત્ત-રોન્કો પણ હતી. સંજય એની પ્રાથમિક સારવાર મુંબઈમાં કરાવશે અને પછી આગળની સારવાર માટે અમેરિકા જશે. એને પાંચ વર્ષના અમેરિકન વિઝા મળી ગયા હોવાનું કહેવાય છે.