મહાન અભિનેતા સંજીવ કુમારના જીવનચરિત્ર પુસ્તકનું વિમોચન

હિન્દી ફિલ્મોના મહાન અભિનેતા સ્વ. સંજીવ કુમારના જીવન પર આધારિત રીટા રામમૂર્તિ ગુપ્તાએ લખેલાં પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં દિવંગત અભિનેતા સાથે સંકળાયેલા કેટલાક યાદગાર કિસ્સાઓને પણ વણી લેવામાં આવ્યા છે. આ પુસ્તકને તનુજા, શત્રુઘ્ન સિન્હા, અનિલ કુપૂર, પરેશ રાવલ, સચીન પિલગાંવકર તથા અન્ય હસ્તીઓએ બિરદાવ્યું છે.