ટાઈગર, તારા માહિમ દરગાહ, બાબુલનાથ મંદિરની મુલાકાતે

બોલીવુડ અભિનેતા ટાઈગર શ્રોફ અને અભિનેત્રી તારા સુતરીયાએ એમની આગામી હિન્દી ફિલ્મ ‘હિરોપંતી 2’ને બોક્સ ઓફિસ પર સફળતા મળે એ માટે મુંબઈના માહિમ (વેસ્ટ) ઉપનગરની માહિમ દરગાહમાં જઈને બંદગી કરી હતી અને પવિત્ર ચાદર ચઢાવી હતી. બંને કલાકારે ચર્નીરોડ ઉપનગરમાં આવેલા બાબુલનાથ મંદિરમાં જઈને દર્શન કર્યાં હતાં. એહમદ ખાન દિગ્દર્શિત આ ફિલ્મ 29 એપ્રિલના શુક્રવારથી થિયેટરોમાં રિલીઝ થવાની છે.

ટાઈગર શ્રોફ અને તારા સુતરીયા બાબુલનાથ મંદિરમાં…