અમદાવાદમાં આ વર્ષે ગણેશોત્સવની પરંપરાગત ધાર્મિક શ્રદ્ધા, ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. અનેક સાર્વજનિક ગણેશોત્સવ મંડળમાં વિવિધ પ્રકારના થીમ-ડિઝાઈનવાળા મંડપ જોવા મળ્યા છે. બાલાકોટ ખાતેના ત્રાસવાદી અડ્ડાઓ પર ભારતીય હવાઈદળના એરસ્ટ્રાઈક્સના સેટવાળા ગણેશોત્સવ શ્રદ્ધાળુઓમાં હિટ સાબિત થયા છે. આ તસવીર વેજલપુર ખાતેના ગણેશોત્સવ મંડળની છે. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)