દેવ દિવાળીઃ મુંબઈનું બાણગંગા તળાવ ઝગમગી ઉઠ્યું

હિન્દુ શ્રદ્ધાળુઓએ 18 નવેમ્બર, ગુરુવારે દેવ દિવાળી પર્વ અને ત્રિપુરારી પૂનમ અથવા અથવા કાર્તિક પૂર્ણિમા અથવા વ્રતની પૂનમ નિમિત્તે દક્ષિણ મુંબઈના વાલકેશ્વર વિસ્તારમાં આવેલા પ્રાચીન સમયના બાણગંગા તળાવની ફરતે પગથિયાં પર સેંકડો દીવડાં પ્રગટાવ્યાં હતાં. મહારાષ્ટ્રીયન મહિલાઓ અને બાળકોએ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને આ પર્વની ધાર્મિક શ્રદ્ધા અને ઉમંગ સાથે ઉજવણી કરી હતી. એને કારણે સમગ્ર બાણગંગા તળાવ રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું. (તસવીરોઃ દીપક ધુરી)