કુદરત આગળ માનવ લાચાર છે એ કહેવત માત્ર જૂની પેઢીના લોકો બોલે એવું નથી હોતું. યુવાનો પણ તેને ‘ફોરવર્ડ’ કરતા હોય છે. બીજાને વાંચવા મોકલે એટલે પોતાને ગમ્યું હશે એમ માની લેવું પડે. માન્યતાને તર્કની સરહદો નડતી નથી અને વાયરસને પણ કોઈ સરહદો નડતી નથી એટલે સામો તર્ક થવાનો કે માન્યતાને તોડી પાડવાની તમારી દલીલમાં વજૂદ લાગતું નથી. ધરતીકંપ આવે, વાવાઝોડું આવે, દુકાળ પડે, જવાળામુખી ફાટે, કરોડો તીડનું લશ્કર તૂટી પડે, પાકમાં રોગ આવે અને ઊભો મોલ સુકાઈ જાય, લીલુંછમ વૃક્ષ લાકડું બની જાય તે જોઈને લોકો બોલવાના જ કે કુદરત આગળ માનવ લાચાર છે.
સાથે જ ઉમેરો થવાનો કે માનવજાત સમજે નહિ તો મહામારી આવવાની. મહામારી, રોગચાળો, રહસ્યમય તાવ, કોગળિયું, ઊંટિયું, કાળો તાવ આવા કંઈ કેટલાય નામથી બીમારીઓને ઓળખવામાં આવે છે. કુદરત સજા કરે છે માનવજાતને એવું બોલવામાં આવે છે. મોટા ભાગની ભિરુ પ્રજા સામી દલીલો કરતી નથી. ભિરુ પ્રજા પ્રતિવાદ કરવા ટેવાયેલી નથી, કહે તેટલું માનવા ટેવાયેલી છે. ડાહ્યા માણસો પણ કહેવાના કે શ્રદ્ધાના મામલામાં સવાલોને અવકાશ હોતો નથી. અંધશ્રદ્ધામાં પણ આકરો પ્રતિસાદ આપવાને બદલે સાંભળી લેવું સલાહભર્યું ગણાય.
પ્રજાની માન્યતા સમજ્યા, પણ પ્રબુદ્ધજનોની પણ માન્યતા હોય છે અને તેઓ બોલે ત્યારે અનેક સાંભળતા હોય છે અને તેની અસર થતી હોય છે. પ્રતિષ્ઠિત વ્યક્તિ પાછળ દોરાતી હોય છે એટલે ઘણી વાર તેમની નાનામાં નાની વાતનો પ્રતિવાદ આવતો હોય છે. તેની પાછળનો શુભાશય જ હોય છે કે લોકપ્રિય વ્યક્તિએ લેખાંજોખાં લઈને બોલવું, કેમ કે પાછળથી ખુલાસા ખાસ ફેલાતા નથી. સાથે એ પણ યાદ રાખવું કે ગુરુ પોતાના શિષ્યોના હિત ખાતર અમુક ટેવ પાડવા તેમને સીધો આદેશ જ આપતા હોય છે, સમજાવાની પ્રક્રિયા બહુ લાંબી ચાલતી હોય છે માટે.
પ્રજાની માન્યતા સમજ્યા, પણ પ્રબુદ્ધજનોની પણ માન્યતા હોય છે અને તેઓ બોલે ત્યારે અનેક સાંભળતા હોય છે અને તેની અસર થતી હોય છે. પ્રતિષ્ઠિત વ્યક્તિ પાછળ દોરાતી હોય છે એટલે ઘણી વાર તેમની નાનામાં નાની વાતનો પ્રતિવાદ આવતો હોય છે. તેની પાછળનો શુભાશય જ હોય છે કે લોકપ્રિય વ્યક્તિએ લેખાંજોખાં લઈને બોલવું, કેમ કે પાછળથી ખુલાસા ખાસ ફેલાતા નથી. સાથે એ પણ યાદ રાખવું કે ગુરુ પોતાના શિષ્યોના હિત ખાતર અમુક ટેવ પાડવા તેમને સીધો આદેશ જ આપતા હોય છે, સમજાવાની પ્રક્રિયા બહુ લાંબી ચાલતી હોય છે માટે.

આ તો 1934ની વાત છે અને હજી આઝાદી મળી નહોતી, પણ અભિવ્યક્તિની આઝાદી અને પ્રતિવાદી માટે પ્રેમનો સમય હતો. ગાંધીજીએ ટાગોરના નિવેદનને પોતાના પ્રકાશન હરીજનમાં 16 ફેબ્રુઆરી 1934ના રોજ પ્રગટ કર્યું હતું, જેનો સાર નીચે પ્રમાણે છે:

“વધુ વક્રતા એ છે કે કુદરતી ઘટના વિશે મહાત્માજીએ જે દલીલ કરી તે તેમના હરિફોની માનસિકતાને વધારે બંધબેસતી આવે છે. મને નવાઈ નહિ લાગે કે કે આ લોકો આ જ ઘટનાને ઉલટી રીતે જોશે અને તેમને અને તેમના અનુયાયીઓને દૈવી પ્રકોપ લાવવા બદલ પાપી ગણાવશે. [અસ્પૃશ્યતાને દૈવી ગણીને તેનો ભંગ કરવા બદલ.]
“મહાત્માજી દેશવાસીઓને ભયમુક્તિ અને હિંમત આપવાનું પ્રેરણારૂપ કામ કરી રહ્યા છે ત્યારે મને બહુ પીડા થશે કે આ જ પ્રજાના મનમાં તેમના શબ્દોને કારણે અતર્ક વધશે, એ અતર્ક જે અંધશ્રદ્ધાની તાકાતના મૂળ સ્રોત સમાન છે અને આપણને સ્વાતંત્ર્ય અને સ્વાભિમાનથી દૂર રાખે છે.
“મહાત્માજી દેશવાસીઓને ભયમુક્તિ અને હિંમત આપવાનું પ્રેરણારૂપ કામ કરી રહ્યા છે ત્યારે મને બહુ પીડા થશે કે આ જ પ્રજાના મનમાં તેમના શબ્દોને કારણે અતર્ક વધશે, એ અતર્ક જે અંધશ્રદ્ધાની તાકાતના મૂળ સ્રોત સમાન છે અને આપણને સ્વાતંત્ર્ય અને સ્વાભિમાનથી દૂર રાખે છે.
“આવી વાત માની લેવી મારા માટે મુશ્કેલ છે. પણ ખરેખર તમે આવું જ માનતા હો તો, મને લાગે છે કે તેનો પ્રતિવાદ કર્યા વિના ચાલે નહિ.”
આ છેલ્લી વાત આજના સંદર્ભમાં વધારે ધ્યાન ખેંચે એવી છે કે ભિન્નમત ધરાવનારા વચ્ચે પણ સારી રીતે સંવાદ થઈ શકે છે. ગાંધીજીએ હરીજન અખબારમાં જ બાદમાં તેનો જવાબ પણ આપેલો – ‘અંધશ્રદ્ધા વિરુદ્ધ આસ્થા’ એવા મથાળા સાથેના લેખમાં લખ્યું કે દુકાળ, વાવાઝોડા, ધરતીકંપ વગેરે ભલે કુદરતની ઘટનાઓ લાગતા હોય, પણ ‘મને તે માત્ર ભૌતિક ઘટનાઓ નથી લાગતી, પરંતુ તેનો સંબંધ કોઈક રીતે મનુષ્યની નૈતિકતા સાથે જોડાયેલો લાગે છે’. ગાંધીજીએ આગળ લખેલું કેઃ

ટાગોર ગાંધીજીને હંમેશા મહાત્મા કહીને બોલાવતા અને ગાંધીજી તેમને ગુરુદેવ કહીને સંબધન કરતાં. દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા પછી તેમની વચ્ચે ઘણી વાર મુલાકાતો થઈ હતી અને પરસ્પર માટે આદરભાવ ધરાવતા હતા. આમ છતાં પોતપોતાના મતને વળગી રહેતા હતા અને આવી રીતે વાદ અને પ્રતિવાદ કરીને વાતને પૂર્ણવિરામ મૂકી દેતા હતા. આ બાબતે પછી બંનેએ વિવાદ આગળ વધાર્યો નહોતો.
બીજું કે અખબારી નિવેદન તૈયાર કરીને ગાંધીજીને મોકલ્યાના એક અઠવાડિયા પછી 6 ફેબ્રુઆરી 1934ના રોજ તેમણે શાંતિનિકેતનથી અન્ય નિવેદન બહાર પાડીને બચાવ પણ કર્યો હતો. ‘કોઈ વાર અભિપ્રાયો અલગ પડતા હોય તેના કારણે કોઈની બદનામી કરીએ તો સ્વાર્થીપણું છે. મેં જાહેરમાં ઘણી વાર તેમની સાથે અસહમતી દર્શાવી છે, અને હાલમાં જ બિહાર ધરતીકંપ એ કુદરતે કરેલી સજા છે તેવી તેમની માન્યતાની પણ મેં ટીકા કરી છે. પરંતુ મને તેમની ધાર્મિક માન્યતાની પ્રામાણિકતા અને ગરીબો માટેના અતૂટ પ્રેમ માટે માન છે અને તેમના અલગ અભિપ્રાયને માનથી જોઉં છું.’

કુદરત અકળ છે અને સૌના મન પણ અકળ છે. આપણે કોઈની માન્યતા માનવી પણ નહિ, અને અકળાવું પણ નહિ. બરાબર કે નહિ? અકળાયા વિના અભિપ્રાય આપજો હોંકે…
