બિલાડીના પેટમાં ખીર ના ટકે

 

બિલાડીના પેટમાં ખીર ના ટકે

 

એવી એક માન્યતા છે કે બિલાડી ખીર પચાવી શકતી નથી. એટલે એક યા બીજી રીતે એ એના પેટમાંથી બહાર ફેંકાઇ જાય છે.

જે વ્યક્તિને કોઈ ખાનગી વાત કહેવામાં આવે અને તે વ્યક્તિ એ વાતની ગોપનીયતા જાળવી ન શકે.

એટલે કે વાત છુપાવી રાખવામાં અસમર્થ રહે અને આખરે વાત બહાર આવી જાય, તેવા સંજોગોમાં ‘બિલાડીના પેટમાં ખીર ના ટકે’ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)