![]() કજીયાનું મ્હોં કાળું |
કજિયામાંથી નઠારૂં પરિણામ જ આવે. કજિયો પતાવી દેવાનું વલણ રાખવું, ક્લેશથી વેગળા રહેવું. કલહ અથવા કલેશ હંમેશા વ્યથા કે બળતરા જ પેદા કરે છે.
એટલે એની સંગત ક્યારેય કરવી નહીં. એનું મો કાળું કરવું એટલે કે પોતે મોં ફેરવી લેવું અથવા દૂર જવું એ અર્થમાં આ કહેવત વપરાય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
