![]() હુના ગામમાં સાત દા’ડા રે |
તદ્દન બેદરકાર માણસ માટે આ કહેવત વપરાય છે. હુના એટલે કે સૂના ગામમાં જ્યાં કોઇ પ્રવૃત્તિ નથી ત્યાં પણ આ માણસ સાત દા’ડા પડી રહે એવો આળસુ અથવા બેદરકાર.
આ પ્રકારની બેદરકારી અથવા આળસ જેમાં છે તે માણસ પર મદાર રાખીને કોઇ કામ કરી શકાય નહીં. એ વાતને ઉજાગર કરવા માટે આ કહેવત વપરાય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)