ઘરડાં ગાડાં વાળે

1118
    

        ઘરડાં ગાડાં વાળે

 

અનુભવીઓની સલાહ ખરે ટાણે ખપ લાગે. અનુભવી લોકો મોટી આફતમાંથી ઉગારી લે. અનુભવી જ ગૂંચ ઉકેલી માર્ગે ચઢાવે. વૃદ્ધ અનુભવી જ માર્ગ ભૂલેલા ગાડાને સાચા માર્ગે ચડાવે. આમ જેને જ્ઞાનવૃદ્ધ કહેવાય એવા વડીલો આફતના સમયે ખૂબ ઉપયોગી બની રહે છે.

બળદ ગમે તેટલો તોફાને ચઢ્યો હોય તો પણ એને હાંકનાર ગાડાખેડુ જો કાબેલ હોય તો એ ગાડું સહીસલામત વાળી શકાય છે. સવાલ કાબેલિયતનો છે અને કાબેલિયત વરસોના અનુભવ બાદ આવે છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)