ભણતર કરતાં ગણતર ચઢે

             

 

           ભણતર કરતાં ગણતર ચઢે

 

ભણતર તમને દિશા આપે છે. જ્યારે અનુભવ તમને એ દિશામાં જવાનાં પરિણામ સમજાવે છે. ગણતર એટલે ગણતરી અથવા અનુમાન કરવાની આવડત.

તમને માત્ર વિદ્યા જ કામ નથી આવતી, સાથોસાથ અનુભવનું ભાથું પણ એટલું જ જરૂરી છે. અને ક્યારેક માત્ર ભણેલો, જેને અનુભવ અથવા વહેવાર સાથે ઝાઝી લેવાદેવા ન હોય તેને આ કારણસર ‘વેદીયો’ કહેવાય છે. ભણતર જરૂરી છે પણ છેવટે તો ગણતર એટલે કે અનુભવ જ ચઢે છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)