![]() તલવારથી શાક ન સમારાય |
જેનું કામ જે કરે. તલવાર યુદ્ધમાં વપરાય. પણ એ તલવાર લઈને શાક સમારવા ન બેસાય. આમ જ્યારે કોઈ ખૂબ નાના કામ માટે ખૂબ મોટી વસ્તુ વાપરવાની વાત આવે ત્યારે આ કહેવત વપરાય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
