![]() સુથારના ઘરે જ ફર્નિચર તૂટેલું હોય |
માણસ પોતાના કામમાં જ્યારે બહુ વ્યસ્ત હોય ત્યારે સૌથી છેલ્લે પોતાના ઘરને અથવા પોતાના સૌથી નજીકના સ્વજન માટે સમય ફાળવતો હોય છે.
સુથારનું કામ જ ફર્નિચર બનાવવાનું છે. પણ પોતાનો જ હુન્નર છે અને ઘરનું જ કામ છે જેમાંથી પૈસા મળવાના નથી એટલે જ્યાં સુધી એ સાવ નવરો ન પડે ત્યાં સુધી આ કામ રઝળ્યા કરે છે. આ પરિસ્થિતીને સમજાવતી આ કહેવત છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
