તેલ જુઓ તેલની ધાર જુઓ |
એક કહેવત છે ‘ઉતાવળા સો બહાવરા, ધીરા સો ગંભીર’. કોઈ પણ બાબતે ઉતાવળે કોઈ ધારણા બાંધી લેવી ન જોઈએ.
કોઈ પણ કામગીરી ઉતાવળે ન કરવી જોઈએ. પહેલાં જે કંઇ ઘટના ઘટી રહી હોય અથવા જે કાંઇ સાંભળ્યુ હોય તેનો સ્વસ્થતાથી વિચાર કરી લેવો જોઈએ.
બધાં જ પાસાં તપાસી જરૂર જણાય તો કોઈ ડાહ્યા માણસની સલાહ લઈ ત્યાર પછી જ કાર્યવાહી કરવી જોઈએ. આ સંદર્ભમાં આ કહેવત વપરાય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
