ખાણીપીણીની આ ટેવો નિર્દોષ નથી!

પોતાની અંગત, વ્યાવસાયિક, અને સામાજિક જિંદગીમાં આપણે ઘણીવાર એવા શોખ કેળવી લઈએ છીએ જે આપણી જિંદગીનો હિસ્સો બની જાય છે પરંતુ ઘણીવાર તેમાંથી અનેક ટેવો આપણા આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે. જે આપણે આપણાં આ શોખ અને ચેવો પર નજર નાખીશું તો ખબર પડશે કે આપણે આપણાં શોખ કે વ્યસનના કારણે આપણા આરોગ્યને કેટલું નુકસાન પહોંચાડી રહ્યાં છીએ.

જી હા, જીવનમાં એવી કેટલીક ટેવોના શિકાર બનીને આપણે જાણતા અજાણતા આરોગ્ય પર જોખમ ઊભું કરીવબેસતા હોઈએ છીએ. અહીં વાત પાનમસૂલા, બીડી, તમાકુ કે દારૂ જેવાં વ્યસનની નથી. તો પછી શેની વાત છે? આવો નજર કરીએ કેટલાત એવા શોખ અથવા વ્યસન પર જે આમ તો નિર્દોષ લાગે પરંતુ ખરેખર તો હાનિકારક છે. વળી જો આ ટેવ બાળપણથી પડી જાય, જેની સંભાવના ઘણી છે, તો તો વધુ નુકસાનરૂપ છે.૧. ચોકલેટ: આ ટેવ બાળપણથી જ પડવાની સંભાવના હોય છે કારણકે બાળકને શાંત રાખવા તેનાં માતાપિતા કે ઘરમાં આવતા મોટાભાગના લોકો બાળકને ચોકલેટ આપતા હોય છે. ચોકલેટની સાથે બિસ્કિટ પણ ખવડાવતા હોય છે, પરંતુ તેનાથી નાની ઉંમરથી જ દાંત તો ખરૂબ થાય જ છે પરંતુ સાથે ભોજનમાં અરૂતિ જેવી સમસ્યા પણ થાય છે. આથી આપણે આપણાં બાળકોને આવી ટેવ ન પાડવી જોઈએ. તેમને ચોકલેટ અને બિસ્કિટ છાશવારે ન આપતાં ક્યારેક કોઈ એવા પ્રસંગ, જ્યારે તેમણે કંઈક શીખ્યું હોય કે ઉપલબ્ધિ મેળવી હોય.૨. બર્ગર-પિઝા: બાળકોથી માંડીને શાળા-કૉલેજોના વિદ્યાર્થીઓમાં બર્ગર-પિઝાની ઘેલછા સૌથી વધુ હોય છે. પરંતુ આ ઘેલછા જ્યારે ટેવ કે વુયસન બની જાય ત્યારે જોખમ ઊભું થાય છે. ક્યારેક કે કેટલાક મહિનામાં એકાદવાર પિઝા અને બર્ગર ખાવા ઠીક છે પણ છાશવારે તે ખાવાં તે શરીર અને પાચનતંત્ર માટે હાનિકારક છે. બીજું તે ઠીક પણ પિઝા અને બર્ગર ખાવાની સાથે પાણીની જગ્યાએ કોકા કોલા કે પેપ્સી જેવાં હાનિકારક પીણાં પીવામાં આવે છે તેના લીધે આરોગ્યને વધુ નુકસાન થાય છે. તેનાથી સ્થૂળતા આવે છે અને યકૃતમાં પણ ખરાબી આવે છે.

૩. ધૂમ્રપાન: જેમ કિશોરાવસ્થાલકે યુવાની આવે છે તેમ તેમ કંઈક નવું કરવાનો શોખ જાગે છે. આમાં ઘણી વાર સિગરેટ, દારૂ, પાન, ગુટકા, તમાકુની ટેવ પડી જાય છે. આમાં શરૂઆતમાં સાહસનો ભાવ હોય છે. મિત્રો એવું કહીને ચીડવતા હોય છે કે ડરે છે શું? કંઈ ન થાય. આમાં મજા આવે, બધાં દુ:ખ ભૂલી જઈશ.આના પર શાયરીઓ અન ગીતો ઘણાં બનેલાં છે તે કહેશે જેમ કે, નશા શરાબ મેં હોતા તો નાચતી બોતલ, દમ મારો દમ, મીટ જાયેં ગ઼મ, વગેરે. શરૂઆતમાં તેઓ મફતમાં પણ આપતા હોય છે. પરંતુ આ ચીજો શરીરનાં અંગે ફેફસાં, મોઢું અને ચેતાઓને નુકસાન પહોંચાડતા હોય છે અને માનસિક-શારીરિક રીતે પંગુ બનાવી દે છે.

૪. બામ કે વિક્સનો પ્રયોગ: કેટલાક લોકોની ટેવ હોય છે કે શરદી ન હોય કે માથું ન દુ:ખતું હોય તો પણ તેઓ બામ કે વિક્સનો પ્રયોગ કરતા હોય છે. તેની પાછળ તેમમો તર્ક હોય છે કે તેના લીધે તેમને ઊંઘ સારી આવે છે. કેટલાક લોકોને સૂતા પહેલાં માથા પર બામ લગાડવાની ટેવ હોય છે. પણ આ એક પ્રકારની લત જ છે જે તમને નીંદર માટે બામ કે વિક્સ પર નિર્ભર બનાવી રહી છે.

૫. ચા કે કોફી: બહુ થાક લાગવાના કારણે કે સારા વાતાવરણમાં ચા કે કોફી પીવી અલગ વાત છે, પરંતુ જો તમે તમારા શોખના કારણે તેનું વધુ સેવન કરતા હો તો આ શોખ સારો નથી. તેનું વધુ પડતું સેવન ભૂખ મારી નાખે છે અને તેના લીધે પાચન પણ બગડે છે. મધપ્રમેહ અને પેટ સંબંધી રોગોમાં તેનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.૬. અથાણાંનું સેવન: ભોજનની સાથે હંમેશાં કચુંબરનું સેવન આરોગ્ય માટે ફાયદાકારક છે. પરંતુ હંમેશાં અથાણું ખાવું આરોગ્ય માટે નુકસાનરૂપ હોય છે. અથાણા જેવી ચીજો કેવળ ત્યારે જ ખાવી જોઈએ જ્યારે ભોજનનો સ્વાદ વધારવો હોય કે ભોજન અરૂચિકર લાગતું હોય કે શાકભાજી મોંઘા કે અપ્રાપ્ય હોય. દરેક મોસમમાં તેને પ્રતિદિન ખાવાથી અમ્લતા (એસિડિટી) વધે છે. એમાંય જો બજારમાંથી અથાણું ખરીદાયેલું હોય તો તેમાં પ્રિઝર્વેટિવ, સિરકા, સાઇટિક એસિડ નખાયા હોય છે. તે આરોગ્ય માટે નુકસાનકારક હોય છે.

૭. વધુ પડતી વરિયાળી ખાવી- વરિયાળીના અનેક ફાયદા છે અને તેનો સ્વાદ પણ બધાને પસંદ હોય છે, પરંતુ જો તમને દિવસભર વરિયાળી ખાવાની ટેવ હોય તો તે ટેવના લીધે તમને વારંવાર પેશાબ લાગી શકે છે.