વાસ્તુ: શું પીપળાના વૃક્ષમાં વિષ્ણુનો અવતાર હોય છે?

ભારતીય સંસ્કૃતિ દુનિયાની સહુથી જૂની સંસ્કૃતિ છે. અને એક સંશોધન પ્રમાણે સંસ્કૃત કાલીન ભારતીય સંસ્કૃતિ વિશ્વની શ્રેષ્ઠ સંસ્કૃતિ ગણી શકાય. એક સમય હતો જયારે વિદેશથી યાત્રીઓ ભારતને સમજવા આવતા. ભારતીય શિક્ષણની ખ્યાતી એટલે દુર સુધી પહોંચી કે વિદેશી વિદ્યાર્થીઓ આપણી વિદ્યાપીઠો માં અભ્યાસ અર્થે આવતા. આકર્ષણ એટલું વધ્યું કે કેટલાક લોકોને ભારતને પોતાનું કરી લેવાની ઈચ્છા થઇ અને આક્રમણો પણ થયા. ક્યારેક ભૂમિ તો ક્યારે અન્ય કશુક પામવા માટે અલગ અલગ પ્રજાએ ભારત ને પામવા પ્રયત્ન કર્યા અને એમથી કેટલાક સફળ પણ રહ્યા. જયારે જયારે કોઈ રાજવી અન્ય રાજ્ય પર રાજ્ય કરે ત્યારે પ્રજા એના પ્રભાવમાં આવે તે સ્વાભાવિક છે. પણ કોઈ સત્તા છોડી દે પછી પણ એનો પ્રભાવ વધ્યા કરે એ અચંબો પમાડી શકે. આપણે પશ્ચિમના રંગે એવા રંગાયા કે ભૌતિક્તાવાદ આપણા આધ્યાત્મવાદ પર સવાર થઇ ગયો. હવે આપણે આપણી જ સંસ્કૃતિ પર સંશોધન કરવું પડે એવી સ્થિતિ આવી ગઈ છે. આવા સમયે આપણા શાસ્ત્રોની સમજણ આપણને સાચો માર્ગ સુજાડી શકે છે. એમાંથી સુખી થવાના નિયમો આપતું શાસ્ત્ર એટલે વાસ્તુ શાસ્ત્ર.

મિત્રો, આપને પણ કોઈ સંશય કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલ ઈમેઈલ પર પુછી શકો છો. આ વિભાગ આપનો જ છે.

સવાલ: મને ખબર છે કે આપ વરસો થી સંશોધન કરો છો. અને એટલે જ તમને વાસ્તુ વિજ્ઞાનીનું બિરુદ મળ્યું છે. વળી તમે વાસ્તુમાં ઉર્જા વધારવા માટે વિવિધ વનસ્પતિ વાવવાની વાત પણ કરો છો. જો એનું કોઈ પુસ્તક તમે લખો તો સમાજને એ ખુબ ઉપયોગી થઇ શકે. આપણા ઘણા વિદ્વાનો પોતાનું જ્ઞાન અન્યને ન આપીને ગયા. જેના કારણે આપણા દેશની ઘણી સારી બાબતો નવી પેઢીને ખબર જ નથી. વળી મારો એક સવાલ પણ છે. પીપળાના વૃક્ષ માટે બે વિરોધાભાસી માન્યતાઓ છે. એક કે પીપળામાં વિષ્ણુનો અવતાર છે. અને બીજી કે એમાં ભૂતનો વાસ છે. તો સાચું શું ગણાય?

જવાબ: આપણે ત્યાં સંશોધનો તો ઘણા થયા. કેટલાક આક્રમણો બાદ આપણા દેશના લોકો કદાચ હતાશ હતા કે પછી એમણે પરિસ્થિતિ સ્વીકારી લીધી. જેના કારણે ગુલામીનું માનસ આવ્યું હોય એવું બની શકે. વળી મોટાભાગના લોકો કોઈ ની રાહ જુએ છે કે આપણે એનું અનુશરણ કરીશું. અથવાતો આધીન થઇ અને પોતાના લાભ લેવા પ્રયત્ન કરે છે. બની શકે કે આપણા વિદ્વાનોએ ક્યાંક બધું લખ્યું હોય પણ આપણે એ સાંચવી ન શક્યા. કેટલાક સંજોગોમાં એ જ્ઞાન ખોટી વ્યક્તિઓના હાથમાં ન આવે એની કાળજી રાખવા માટે પણ એનો વિનાશ થયો હોય. સાચો ઈતિહાસ શોધવો પડે. વળી જો કોઈને રસ હોય તો એ સંશોધન કરીને પણ આ કામ કરી શકે. આજના યુવાનો માં એ સમજણ છે ખરી? પાશ્ચાત્ય વિષયોથી અંજાયેલા વિદ્યાર્થીઓ અથવાતો વિદેશ ભણી દોટ મુકતા યુવાનો આ કાર્ય કરી શકશે ખરા? શાસ્ત્રીય સંગીતના વર્ગોમાં વિદ્યાર્થીઓ શોધવા પડે અને ગીટાર, રોક, પોપ માં ભીડ જામતી હોય, કે શાસ્ત્રીય નૃત્ય ની  જગ્યાએ ઝુમ્બા વધારે પ્રચલિત બને ત્યારે ક્યાંક કશુક ખૂટી રહ્યાની લાગણી થાય.

આપની જેમ ઘણા ચાહકોનું સુચન છે એટલે હું વિવિધ વિષયો પર પુસ્તકો લખી જ રહ્યો છું. હવે વાત પીપળાની. પીપળો સતત ઓક્સીજન આપે છે. પ્રાણ વાયુ એટલે જીવન માટેની મૂળ જરૂરીયાત. જીવન એટલે વિષ્ણુ. પીપળો યોગ્ય જગ્યાએ વાવવામાં આવે તો એ લાભપ્રદ છે. પીપળાના મૂળ આડા પ્રસરે છે. વળી એમાં તાકાત પણ ખુબ હોય છે. જો એ ઘરથી ખુબ નજીક હોય તો મકાનના પાયામાં જઈ અને ઘરને ખંડેર બનાવી શકે. એટલે એમાં ભૂતનો વાસ છે એવી માન્યતા ઉભી થઇ હોય.

સુચન: જો ઘરની આસપાસ પુરતી જગ્યા ન હોય તો પીપળો ન જ વવાય.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com)