સુખને પામવા ઘરના વાસ્તુને સકારાત્મક કરવું જરૂરી

એવું બને કે કેટલીક વ્યક્તિનો દેખાવ સારો ન હોય. પણ સ્વભાવ ખુબ સારો હોય. દેખાવ સારો ન હોય પણ મહા જ્ઞાની હોય. સ્વભાવ સારો ન હોય પણ ધંધાકીય સૂઝ સારી હોય. સુઝ સારી ન હોય પણ દેખાવ અદ્ભુત હોય. ઈશ્વરે દરેક વ્યક્તિને કોઈ એક ખાસિયત આપી છે. જેના લીધે એને સમાજમાં પોતાનું સ્થાન મળી શકે. ક્યારેક એવું બને કે વ્યક્તિમાં બધા જ ગુણ હોય. ત્યારે એ વ્યક્તિ અભિમાની ન બની જાય એવું એણે ધ્યાન રાખવું જોઈએ. પણ કેટલાક લોકો એવા પણ જોવા મળે છે કે એનામાં કોઈ પણ ગુણ ન હોય. એ સતત પોતે સારા છે એ સાબિત કરવા આસપાસના લોકોને રંજાડતા હોય. દેખાવ અને સ્વભાવ બંને વિકૃત હોય. કોઈ આવડત કે સમજણ શક્તિ ન હોય. ગુંડાગીરી કરતા હોય. તો પણ એમને એવું લાગતું હોય કે લોકો એને ચાહે. આવા સમયે લોકોની ફરજ બને છે કે એમને એમની હકીકતો સમજાવે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેલ પર ચોક્કસ પૂછી શકો છો.

સવાલ: આમ અમે ગુજરાતી. મારી કાયા સ્થૂળ. વળી મર્યાદામાં ઉછેર થયો. એટલે આક્રમક વિચારો આવતા. કોઈ જરાક વખાણ કરે એમાં મને પ્રેમ થઇ જાય. મારા ઘરનાને મારી ખુબ ચિંતા રહેતી. ચારેક લોકોએ મને છેતરી. મારા મમ્મીએ મારું બહાર જવાનું લગભગ બંધ કરી દીધું. એક દિવસ જીમમાં હું સ્ટેપ ચુકી ગઈ. અને એક સ્ટાફના માણસે મને ઊંચકી લીધી. મને એ ગમી ગયો. મારા પપ્પાને એ રીંછ જેવો લાગતો. એ મૂળ રાજસ્થાની. એટલે ઘરના ન માન્યા. વળી એમની આર્થિક સ્થિતિ પણ સારી નહિ. મારી જીદના લીધે મારા ઘરનાએ એક સારી સોસાયટીમાં મને ફ્લેટ આપવી દીધો. મારો પતિ કશું ખાસ કમાતો નથી પણ મને શારીરિક સુખ આપતો. એટલે અમારું ગાડું ચાલ્યું. એને બાઈકનો શોખ. હવે અમે ટૂંકા કપડા પહેરતા, પાર્ટીઓ કરતા, દારૂ પિતા. પણ કોઈ રોકવા વાળું નહિ.

મારા પતિને મોટા માણસ થવાનો શોખ એટલે ધીમે ધીમે એણે સોસાયટીમાં પગપેસારો કરીને સારા એવા પૈસા ભેગા કરી લીધા. અમે એ જ સોસાયટીમાં નવી બે પ્રોપર્ટી લીધી. મારા જેઠને પણ બોલાવી લીધા. જેઠાણીએ મને સમજાવ્યું કે આ સોસાયટીમાં એક બીજાના જીવનસાથીને બદલીને રહેવાની સ્કીમ ચાલે છે. મને આવું બધું ગમે. એટલે અમે એમાં નામ લખાવી દીધું. બાજુના મકાનમાં આઠમાં માળે બાર બનાવેલો છે. અમે ત્યાં ગયા. બધાની ગાડીઓ બેસમેંટમાં મુકાવી અમને એમાં બેસાડી દીધા. થોડી વારમાં એ ગાડીમાં અમારી ચાવી લઈને પુરુષો આવ્યા. મારા જેઠાણીને સારો માણસ મળ્યો. એ એના ફાર્મ હાઉસમાં લઇ ગયો. મારા વાળો તો એની પોતાની જ સી ગ્રેડની હોટેલમાં લઇ ગયો. મને ઝનુન ચડ્યું. લગભગ પાંચ વરસ થયા પણ હજુ એ માણસ મારી સાથે આવ્યો નથી. એક દિવસ હું સામેથી એને મળવા ગઈ તો એણે મને કહ્યું કે આ બધું રૂટીનમાં ન ચાલે. રાત ગઈ, બાત ગઈ. મેં એને મારા મનની વાત કરી દીધી. એણે મને કહ્યું કે બહેન, અરીસામાં જુઓ. આતો તમારો પતિ આટલો ગંદો દેખાય છે એટલે એને તમે ગમો. બાકી તમારામાં ગમવા જેવું કશું છે નહિ. હવે મને સમજાયું કે મારો નંબર બધા ખરાબ દેખાતા માણસો સાથે જ કેમ આવતો હતો. આમાં પણ ચીટીંગ?

મારા ઘરમાં વાસ્તુ આધારિત કયા ફેરફાર કરું તો એ માણસ મને સામેથી એના ફાર્મ હાઉસ પર લઇ જાય? હવે મને મારો પતિ નથી ગમતો. એ સાચે જ રીંછ જેવો છે. એનો કોઈ ઈલાજ થઇ શકે?

જવાબ: બહેન શ્રી. તમારી વાત એ આજના સમાજની વિકૃત છબી છે. તમે તમારા ઘરનાની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા. તમે માત્ર શરીર સુખને જ પ્રાધાન્ય આપ્યું. એવું કહે છે કે લક્ષ્મી જે રસ્તે ઘરમાં આવે એ જ રસ્તે એ જાય છે. તમારા પતિએ સોસાયટીમાં ગોટાળા કરવાના શરુ કર્યા અને તમારું મન ફર્યું. પરપુરુષ ગમન એ સારું નથી. માનો કે તમને કોઈ જાતીય રોગ થાય કે તમારા પતિને થાય તો અંતે તો તમારે જ ભોગવવાનું થશે. દરરોજ નવા પાર્ટનર સાથે શયન કરવાનું તમને વિચિત્ર નથી લાગતું? વળી કોઈ પણ અજાણ્યો માનસ તમારી ગાડીમાં આવીને તમને ગમેત્યાં લઇ જાય એ પણ યોગ્ય નથી. શાંતિથી વિચારો. તમારા ઘરના અગ્નિમાં બાલ્કનીમાં હીંચકો છે. જેના કારણે સ્ત્રીનું મન ચંચળ બને છે. એને ખસેડી લો. તમારી જીદ ખોટી છે. જે માણસને તમે ગમતા જ નથી એને પામવા માટે ખોટા પ્રયત્નો કરવા કરતા તમે તમારા પરિવારને સમય આપો. વળી માનો કે તમારા પતિને કોઈ ગમી ગયું તો? એ કોઈની પણ શારીરિક ભૂખ સંતોષી શકશે. પછી તમારું સ્થાન ક્યાં હશે? સભ્ય સમાજમાં જે સ્ત્રી દરરોજ પરપુરુષ ગમન કરે એના માટે ઘણા શબ્દો છે. વિચારજો તમને કોઈ એવું કહે તો ગમશે?

દરરોજ સવારે વહેલા ઉઠીને ગાયત્રી મંત્ર કરો. મન શાંત થશે. સારા વિચાર આવશે.

સુચન: સુખને પામવા અંધારામાં દોટ મુકવા કરતા વાસ્તુને સકારાત્મક કરવાની જરૂર છે.

(આપના સવાલો મોકલી આપો Email: vaastunirmaan@gmail.com)