પાટીદારો સામે થયેલા 450 જેટલા કેસ સરકાર પાછા ખેંચશે

અમદાવાદઃ થોડા સમય પહેલાં સરકાર અને પાટીદાર અગ્રણીઓ વચ્ચે ગાંધીનગર ખાતે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સરકારે બિનઅનામત આયોગ લાવવા અંગે કહ્યું હતું જેને સરકાર દ્વારા મંજૂરી મળી ગઈ છે. મહત્વનું છે આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પાટીદાર વોટબેંકને સાચવી લેવા માટે બેઠકમાં નક્કી થયા મુજબ સરકારે પાટીદારો પર લાગેલા 450 જેટલા કેસ પાછા ખેંચવાનો નિર્ણય કર્યો છે. આ માટે જે તે શહેરના સરકારી વકીલ કોર્ટમાં તેમનો આધારભૂત રીપોર્ટ આપવામાં આવશે. જો કે કાયદા વિભાગે આ અંગેની કવાયત પણ શરૂ કરી દીધી છે.

મહત્વનું છે કે ઘણા લાંબા સમયથી પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું છે. સરકાર સાથે પાટીદારો દ્વારા કરવામાં આવેલી બાદ પણ કોઈ આ મુદ્દે કોઈ નિકાલ આવ્યો નહોતો. પરંતુ વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ સરકારે બિન અનામત આયોગની જાહેરાત કરી દિધી છે.

તો આ સિવાય સરકારે મૃત્યુ પામેલા પાટીદાર યુવકોના પરિજનોને સહકારી સંસ્થાઓમાં નોકરી આપવાની પણ તૈયારી દર્શાવી છે. સરકાર અને પાટીદાર આગેવાનો વચ્ચે જે બેઠક થઈ હતી સરકારે પાટીદારો પર થયેલા કેસો પાછા ખેંચી લેવા માટે બાંહેધરી આપી હતી. સરકારે આપેલી બાંહેંધરી અનુસાર તે દિશામાં કામગિરી કરવાનું શરૂ કરી દીધું છે.