સાધુ કૃષ્ણદાસનો સંદેશ : ‘તમારા ધર્મ પર ચાલો, સૌને પ્રેમ કરો’

મુંબઈના ભાગદોડવાળા જીવનમાં, ધસમસતાં ભાગતાં વાહનોની વચ્ચે, શરીરે પરસેવો થતો હોય, ધોધમાર વરસાદ વરસતો હોય તો પણ સાધુ કૃષ્ણદાસ જૂહુ સર્કલ સિગ્નલ પર જ ઊભા રહીને, ચહેરા પર મૃદુ સ્મિત ફરકાવતા રહીને શાંતિ, પ્રેમ અને આશાના સંદેશનો ફેલાવો કરીને પોતાનું સામાજિક યોગદાન આપે.