પાંચ આંગળી મળીને જ મુઠ્ઠી (તાકાત) બને છે

આપણે મહાભારત વાંચીએ છીએ કે ટેલિવિઝન પર જોઈએ છીએ ત્યારે આપણા કાને એક શબ્દ પડે છે: ‘અક્ષૌહિણી સેના’. આ અક્ષૌહિણી સેના એટલે શું? આ સેના કઈ રીતે બને?

અક્ષૌહિણી સેના હાથી, રથ, ઘોડા અને પાયદળનો સમાવેશ થાય છે. આ સેના નીચેના સ્તરથી શરૂ થઈ ધીરે ધીરે ઉપરના સ્તરે પહોંચે છે અને એ રીતે અક્ષૌહિણી સેના બને છે.

એક રથ, એક હાથી, પાંચ પાયદળ અને ત્રણ ઘોડા મળીને એક સમૂહ બને છે જેને ‘પત્તિ’ કહેવાય. ત્રણ ‘પત્તિ’ઓનો સમૂહ એકત્રિત થયો હોય જેને ‘સેનામુખ’ કહેવાય. આવા ત્રણ ‘સેનામુખ’ના સમૂહને ‘ગુલ્મ’ કહેવાય. ત્રણ ‘ગુલ્મ’ ભેગા મળી ‘ગણ’ બને છે. ત્રણ ગણની એક ‘વાહીની’ બને અને આ ત્રણ ‘વાહિની’ના સમૂહને ‘પૂતના’ કહેવાય. ત્રણ પૂતનાના સમૂહથી એક ‘ચમુ’ બને અને ત્રણ ચમુ મળીને એક ‘અનીકીની’ બને. આવી 10 અનીકીનીના સમૂહથી એક અક્ષૌહિણી સેના બને છે. (મહાભારતના આદિપર્વમાં શ્લોક 15 થી 18)

કેટલું માઈક્રો લેવલ પ્લાનિંગ આટલા વર્ષો પહેલાં પણ ચાલતું હતું?

કોઈ કંપની કે ઓર્ગેનાઇઝેશનમાં નીચેથી ઉપરના લેવલ પર આ પ્રકારનું માઈક્રો પ્લાનિંગ જોઈ શકીએ છીએ. તેમાં દરેક સ્તરે કામ કરતો વ્યક્તિ ખૂબ મહત્વપૂર્ણ છે. તેમાંથી એક પણ સ્તર બરાબર કામ ન કરે તો ઓર્ગેનાઈઝેશન નામની સેના ખોટકાઈ પડે છે. કારના એન્જિનમાં ખરાબી હોય તો તમે બીજી કારમાં જઈ શકો. પરંતુ જો કાર 120ની ઝડપે હાઇવે પર જતી હોય અને એક નાનકડી બ્રેક ફેલ થાય કે ટાયર ફાટે તો જીવલેણ અકસ્માત થઈ શકે છે?

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ઝરણીઅને ચિંતનકણિકાના સંગ્રહ નિજાનંદઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)